Monday 15 July 2013

પસ્તાવો....



પસ્તાવો...


ભગવાન....  !
હોય ગુસ્સો પણ આવો?
કે જેનો નથી કંઈ જ વાંક
તેના માટે મારામાં
આટલો મોટો વળાંક?
કહી કહી ને શું કહ્યું
એણે મને?
એજ ને કે જે લાગ્યું
સત્ય તને?
જાણવા છતાય કર્યો મે
એના પર ગુસ્સો,
જેથી હું જ થઈ દુ:ખી આખરે ને
ઘટયો એનો જુસ્સો...
જે પણ થયું એના માટે
દિલ થી ક્ષમા માંગુ છું,
મારા આ ગુસ્સા માટે
પ્રેમ થી સજા માંગુ છું,
વચન છે રાખીશ ધ્યાન
નહિ કરું ક્રોધ
માહિ નું છે આ બ્યાન
ના કર બીજી શોધ.

                                                         મનસ્વી ડોબરીયા "માહી"

2 comments: